જ્ઞાનનું ઝરણું

શનિવાર, 21 સપ્ટેમ્બર, 2013

Review News Alert: SolMail Checks Your Gmail, Yahoo, Hotmail, and Mor...

Review News Alert: SolMail Checks Your Gmail, Yahoo, Hotmail, and Mor...:   SolMail is a powerful e-mail client that helps you to manage all of your e-mail accounts & messages in one app. It supports many ...

Review News Alert: Google Wallet App For iPhone Released

Review News Alert: Google Wallet App For iPhone Released: Google has just launched a free Google Wallet app in the App Store. Though the app doesn’t support in-store payments (since Apple’s iPhon...

Review News Alert: LG G2 launching in India on September 30

Review News Alert: LG G2 launching in India on September 30: And it’s now official. LG has sent out invites for an event it is holding in Delhi on September 30. And the highlight of the show is t...

મંગળવાર, 19 જાન્યુઆરી, 2010

અગ્નિમુખ ચૂર્ણ



દ્રવ્યો : કઠ આંઠ ગ્રામ ,ચિત્રકમૂળ સાત ગ્રામ ,અજમો પાંચ ગ્રામ ,હરડે છ ગ્રામ ,પીપર ત્રણ ગ્રામ, વજ બે ગ્રામ ,સુંઠ ચાર ગ્રામ  અને ઘીમાં તળેલી હિંગ એક ગ્રામ,મિક્ષ કરી બારીક વાટીને વસ્ત્રગાળ ચૂર્ણ બનાવવું .
અનુપાન : મધ , મોળી છાશ ,દહીં અથવા નવશેકા પાણી સાથે લેવું.
કયા રોગ પર અસરકારક : પેટના રોગો,નબળી પાચનશક્તિ,અર્જીણ કબજિયાત ,પેટના દુખાવો ,દમ ,ખાંસી ,વાયુ વગેરે પર આ ચૂર્ણ આપી શકાય.

શુક્રવાર, 15 જાન્યુઆરી, 2010

ભગવદ્ગોમંડલ ,ગુજરાતી જ્ઞાનકોશ

Bhagavadgomandal
૧૯૪૦માં પહેલી વાર પ્રકાશિત થયેલા આ ગ્રંથમાં ૨.૮૨ લાખ શબ્દોની કુલ ૮.૨૨ લાખ શબ્દોમાં અત્યંત વિસ્તૃત સમજ આપવામાં આવી છે! ગોંડલ રાજયના એ સમયના મહારાજા ભગવદસિંહજીની પ્રેરણાથી, ૨૭ વર્ષોની મહેનતથી કુલ નવ ભાગમાં આ દળદાર ગ્રંથ તૈયાર થયો, પણ પહેલી આવૃત્તિની માત્ર ૫૦૦ પ્રત છપાઈ હતી, જે ૧૯૫૮ સુધીમાં તો અપ્રાપ્ય બની ગઈ. એ પછી લગભગ કોઈ પ્રકાશક એની પુન:આવૃત્તિની હામ ભીડવા તૈયાર નહોતા ત્યારે, રાજકોટના પ્રવીણ પ્રકાશને ૧૯૮૭માં અને પછી હમણાં આ વર્ષે આ દુર્લભ ગ્રંથ ફરી લોકોના હાથમાં મૂકયો. અને હવે, પ્રિન્ટ આવૃત્તિની જેની કમિંત સાડા સાત હજાર જેટલી છે એવો આ સંપૂણર્ ગ્રંથ પ્રવીણ પ્રકાશને ઇન્ટરનેટ પર મૂકી દીધો છે – ગુજરાતીઓની સેવામાં, બિલકુલ નિ:શુલ્ક!
જ્ઞાનકોશમાં સાહિત્ય, વિજ્ઞાન, સમાજ, વ્યકિત, ઇતિહાસ, ભૂગોળ, ખગોળ, વ્યાપાર, આયુર્વેદ, શિલ્પશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, નૃત્ય, સંગીત, રસોઈ, પશુ-પક્ષી, રોગ, યોગ વગેરે તમામ વિષયો આવરી લેવામાં આવ્યા છે. ગુજરાતી ભાષાના કુલ ૨૮,૧૫૬ રૂઢિપ્રયોગો ને ૧૦,૦૦૦ જેટલી કહેવતોનું અપાર વૈવિઘ્ય પણ આ કોશમાં તમારી સમક્ષ છતું થાય છે!આ કોશની અસલ પ્રથમ આવૃત્તિના નવેનવ ભાગનાં તમામ પાનાં સ્કેન કરીને મૂકવામાં આવ્યાં છે. સાથે યુનિકોડની મદદથી સર્ચની સગવડ છે. યુનિકોડથી ગુજરાતીમાં લખી ન શકતા લોકો માટે સરળ કી-બોર્ડ પણ તમારી સમક્ષ હાજર છે. ‘નર્મદા’ લખીને સર્ચ કરો એટલે ગ્રંથનું ૪૮૬૨મું પાનું ખૂલે અને ત્યાંથી સંખ્યાબંધ પાનાંઓ સુધી નર્મદા સંબંધિત માહિતીનો ખજાનો વિસ્તરતો રહે, જેમાં નર્મદાના તીરે આવેલાં સેંકડો તીર્થ અને નર્મદાનાં હજાર નામ પણ જાણવા મળે!
link  http://www.bhagavadgomandalonline.com/
સ્ત્રોત } http://www.divyabhaskar.co.in/2008/09/24/0809241244_vignan_technology…

ભારતીય સંસ્કૃતિ

ભારતીય સંસ્કૃતિ વિષે સહુ કોઈ જાણકાર હોઈશું પણ તેની માહિતી મેળવવી જરૂરી છે.
આપણા કુલ 4 વેદો છે.
1] ઋગવેદ 2] સામવેદ 3] અથર્વેદ 4] યજુર્વેદ
કુલ 6 શાસ્ત્ર છે.
1] વેદાંગ 2] સાંખ્ય 3] નિરૂક્ત 4] વ્યાકરણ 5] યોગ 6] છંદ
આપણી 7 નદી
1] ગંગા 2] યમુના 3] ગોદાવરી 4] સરસ્વતી 5] નર્મદા 6] સિંધુ 7]કાવેરી
આપણા 18 પુરાણ
1] ભાગવતપુરાણ 2] ગરૂડપુરાણ 3] હરિવંશપુરાણ 4] ભવિષ્યપુરાણ 5] લિંગપુરાણ 6] પદ્મપુરાણ 7] બાવનપુરાણ 8] બાવનપુરાણ 9] કૂર્મપુરાણ 10] બ્રહ્માવતપુરાણ 11] મત્સ્યપુરાણ 12] સ્કંધપુરાણ 13] સ્કંધપુરાણ 14] નારદપુરાણ 15] કલ્કિપુરાણ 16] અગ્નિપુરાણ 17] શિવપુરાણ 18] વરાહપુરાણ
પંચામૃત
દૂધ, દહીં, ઘી, મધ, ખાંડ
પંચતત્વ
પૃથ્વી, જળ, વાયુ, આકાશ, અગ્નિ
ત્રણ ગુણ
સત્વ, રજ અને તમસ
ત્રણ દોષ
વાત, પિત્ત, કફ
ત્રણ લોક
આકાશ, મૃત્યુલોક, પાતાળ
સાત સાગર
ક્ષીરસાગર, દૂધસાગર, ધૃતસાગર, પથાનસાગર, મધુસાગર, મદિરાસાગર, લડુસાગર
સાત દ્વીપ
જમ્બુદ્વીપ, પલક્ષદ્વીપ, કુશદ્વીપ, પુષ્કરદ્વીપ, શંકરદ્વીપ, કાંચદ્વીપ, શાલમાલીદ્વીપ
ત્રણ દેવ
બ્રહ્મા, વિષ્ણુ, મહેશ
ત્રણ જીવ
જલચર, નભચર, થલચર
ત્રણ વાયુ
શીતલ, મંદ, સુગંધ
ચાર વર્ણ
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ક્ષુદ્ર
ચાર ફળ
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ
ચાર શત્રુ
કામ, ક્રોધ, મોહ, લોભ
ચાર આશ્રમ
બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસ
અષ્ટધાતુ
સોનું, ચાંદી, તાબું, લોખંડ, સીસુ, કાંસુ, પિત્તળ, રાંગુ
પંચદેવ
બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ગણેશ, સૂર્ય
ચૌદ રત્ન
અમૃત, ઐરાવત હાથી, કલ્પવૃક્ષ, કૌસ્તુભમણિ, ઉચ્ચૈશ્રવા ઘોડો, પાંચજન્ય શંખ, ચન્દ્રમા, ધનુષ, કામધેનુ, ધનવન્તરિ. રંભા અપ્સરા, લક્ષ્મીજી, વારુણી, વૃષ.
નવધા ભક્તિ
શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચના, વંદના, મિત્ર, દાસ્ય, આત્મનિવેદન.
ચૌદભુવન
તલ, અતલ, વિતલ, સુતલ, સસાતલ, પાતાલ, ભુવલોક, ભુલૌકા, સ્વર્ગ, મૃત્યુલોક, યમલોક, વરૂણલોક, સત્યલોક, બ્રહ્મલોક.
દેવાધિદેવ
મહાદેવ

વિષ્ણુ સહસ્ત્ર નામ પૈકીનાં ૧૦૧ નામ અને તેના અર્થ


સ્ત્રોત } શ્રી અમૃતગિરિ ગોસ્વામી

અનુક્રમ નંબર નામ અર્થ



ભૂતાત્મા પ્રાણી માત્રના અંતરાત્મા રૂપ



ભૂતભાવના સર્વ પ્રાણીઓના જન્મદાતા તથા ભોગ્ય પદાર્થો અર્પણ કરીને તેની વૃધ્ધિ કરનાર



પૂતાત્મા પવિત્ર આત્માવાળા



યોગવિદાનેતા યોગવેત્તા પુરુષોના પણ નેતા



કેશવ કે એટલે બ્રહ્મા અને ઇશ એટલે મહાદેવ, એ બંને જેમને વશ છે એવા



સર્વ વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ તથા નાશ જાણનાર



શર્વ પ્રલય કાળે સર્વનો નાશ કરનારા



સ્થાણુ અચલ, સ્થિર




ભાવ સર્વ ભક્તોને ફળસિધ્ધિ આપનારા



૧૦ સ્વયંભૂ પોતાની મેળે જ ઉત્તપન્ન થનાર



૧૧ ધાતા શેષનાગ રૂપે આખા જગતને ધારણ કરનારા



૧૨ હ્મષીકેશ સર્વ ઈન્દ્રિયોના નિયંતા



૧૩ કૃષ્ણ કેવળ આનંદમૂર્તિ



૧૪ પદ્મનાભ નાભિમાંથી બ્રહ્મ ઉત્પત્તિ સ્થાન રૂપ કમળને ધારણ કરનારા



૧૫ સ્થવિર અત્યંત પુરાતન, સનાતન



૧૬ પ્રભૂત જ્ઞાન ઐશ્વર્ય વગેરે સંપન્ન



૧૭ માધવ મા એટલે લક્ષ્મી તેના પતિ રૂપ



૧૮ પરંમંગલ અત્યંત મંગળ સ્વરૂપ



૧૯ સુરેશ સર્વ દેવના ઈશ્વર



૨૦ શર્મ કેશવ કલ્યાણમૂર્તિ



૨૧ અજ અજન્મા



૨૨ વસુમના ઉદાર મનવાળા



૨૩ પુંડરીકાક્ષ કમળ જેવા નેત્રવાળા, સર્વના હ્મદય કમળમાં વસનારા



૨૪ રુદ્ર જગતના સંહાર સમયે પ્રાણીમાત્રને રડાવનાર



૨૫ બભ્રુ સર્વ લોકોનું પોષણ કરનારા



૨૬ વિશ્વયોનિ આખા વિશ્વના ઉત્પત્તિ સ્થાનરૂપ



૨૭ શુચિશ્રવા પવિત્ર યશવાળા



૨૮ મહાતપા જેમની ઈચ્છા શક્તિથી સ્વયં વિશ્વ ઉત્પન્ન થાય છે તે



૨૯ વેદવિત વેદોનું મનન કરનારા



૩૦ ચતુરવ્યૂયુહ મન, બુધ્ધિ, ચિત્ત તથા અહંકાર આ ચાર તત્વોમાં અનુક્રમે વાસુદેવ, પ્રદ્યુમન, અનિરુધ્ધ તથા સંકર્ષણ રૂપે નિવાસ કરનારા



૩૧ પુનવર્સુ જીવ સ્વરૂપે વારંવાર શરીરમાં નિવાસ કરનારા



૩૨ પ્રાંશુ બલિરાજા પાસેથી ત્રણ પગલાં લેતી વખતે ઉજાત સ્વરૂપ ધારણ કરનારા



૩૩ ગોવિંદ રસાતળમાં પેસી ગયેલી ગો અર્થાત પૃથ્વીનો વરાહના સ્વરૂપથી ઉધ્ધાર કરનાર



૩૪ ગોવિંદાપતિ વેદશાસ્ત્ર જાણનારા ઋષિઓનાપણ પતિ



૩૫ મરીચિ સર્વ કિરણોના પણ કિરણરૂપ



૩૬ હંસ સંસારરૂપી બંધનનો નાશ કરનારા, બ્રહ્માને વેદ જણાવવા હંસરૂપ થયેલા



૩૭ સુપર્ણ ગરુડ પક્ષીરૂપ



૩૮ વિશ્રુતાત્મા જેમનું સ્વરૂપ જ્ઞાન વડે પ્રસિધ્ધ છે તેવા



૩૯ સ્રગ્વી વૈજયંતીમાળા ધારણ કરનારા



૪૦ વાચસ્પતિ વાણીના પતિ



૪૧ અગ્રણી મુમુક્ષોને ઉત્તમ સ્થાનમાં લઇ જનારા



૪૨ ગ્રામીણ સર્વ પ્રાણી સમુદાયના નેતા



૪૩ શ્રીમાન શોભા સંપન્ન



૪૪ વહિન્ અગ્નરૂપ



૪૫ અનિલ વાયુરૂપ, નિત્ય જાગ્રત



૪૬ ધરણીધર શેષ



૪૭ સહસ્ત્રમૂર્ઘા હજારો માથાવાળા



૪૮ વૃષભ ભક્તો પર કૃપા દ્રષ્ટિ દાખવનારા



૪૯ વિભુ બ્રહ્મ વગેરે અનેક રૂપે રહેનારા



૫૦ સિદ્ધાર્થ જેના મનોરથો હંમેશાં સફળ થાય છે તે



૫૧ વૃષપર્વા જેમના સ્થાન પર ચઢવા ધર્મ એ જ પગથિયાં છે તેવા



૫૨ વર્ધમાન સંસાર રૂપે વૃધ્ધિ પામનારા છતાં તેનાથી વિરક્ત રહેનારા



૫૩ અચ્યુત સર્વ વિકારોથી રહિત



૫૪ અપાંનિધિ સમુદ્રરૂપ



૫૫ ઉદ્ ભવ પોતાની ઇચ્છા અનુસાર જન્મ લેનારા



૫૬ સ્કંધ અમૃત રૂપે ગમન કરનારા તથા વાયુરૂપે શોષનારા



૫૭ વાસુદેવ સર્વ જગતમાં વ્યાપક, સર્વથી પૂજાતા



૫૮ તાર ગર્ભ – જન્મ, જરા અને મૃત્યુ રૂપી ભયમાંથી મુક્ત કરનારા



૫૯ શતાવર્ત ધર્મના રક્ષણ માટે અનેક જન્મ ધારણ કરનારા



૬૦ ગરુડધ્વજ ધ્વજમાં ગરુડનું ચિહ્નન ધારણ કરનારા



૬૧ ભીમ જેમનાથી સમગ્ર જગત ભયભીત રહે છે તે



૬૨ સમયજ્ઞ જગતની ઉત્પત્તિ, સ્થિતિ તથા પ્રલયના સમયને જાણનારા



૬૩ દામોદર યશોદાએ જેમને દોરડાથી બાંધ્યા હતા તે, નામરૂપાત્મક જગત જેના ઉદરમાં – પેટમાં રહેલું છે તે



૬૪ પરમેશ્વર જેમની લીલા શ્રેષ્ઠ છે તે



૬૫ સ્વાપન આત્મજ્ઞાનરહિત વ્યક્તિને સુવડાવી દેનારા



૬૬ સંભોનિધિ દેવો, મનુષ્યો, પિતૃઓ તથા અસુરો આ સર્વના નિવાસસ્થાનરૂપ



૬૭ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસરૂપે જેણે જન્મ લીધો છે તે



૬૮ મહામના પોતાના મનથી જ જગતની ઉત્પત્તિ, સ્થિતિ તથા નાશ કરનારા



૬૯ પરમેષ્ઠી પ્રત્યેકના હ્મદયરૂપી આકાશમાં સ્થિતિ કરીને રહેનારા



૭૦ પ્રદ્યુમન પુષ્કળ દ્રવ્યવાળા



૭૧ તીર્થકર ચૌદ વિદ્યાઓના સ્રષ્ટા



૭૨ મનોજવ મનના જેવા વેગવાળા



૭૩ મહાયજ્ઞ યજ્ઞોમાં ઉત્તમ ગણાતા, જપ યજ્ઞ રૂપ



૭૪ પ્રગ્રહ ભક્તોએ અર્પણ કરેલાં પત્ર, પુષ્પ વગેરેનો સ્વીકાર કરનારા અથવા ઈન્દ્રીયોરૂપી ઉધ્ધત ઘોડાઓને વશ રાખવા માટે જેમનો પ્રસાદ જ લગામ રૂપ થઈ શકે છે તે



૭૫ ગદાગ્રજ વૈદિક મંત્રો દ્વારા જેમનો સાક્ષાત્કાર થઇ શકે છે તે



૭૬ સુંદ અત્યંત દયાળુ



૭૭ જયંત શત્રુઓનો પરાજય કરનારા



૭૮ તતુંવર્ધન પ્રલયકાળે સંસારરૂપ તાંતણાને તોડી પડનારા



૭૯ કુંદર મોગરાના પુષ્પ સમાન સુગંધવાળા



૮૦ પર્જન્ય મેઘની માફક આધ્યાત્મિક



૮૧ દુર્ગમ દુ;ખોથી જાણી શકાય છે તે



૮૨ સર્વ્તોમુખ સર્વ તરફ નેત્ર તથા મુખવાળા



૮૩ શત્રુતાપન દેવોના શત્રુને તપાવનાર



૮૪ ઉદુંબર હ્નદયરુપી આકાશમાં પ્રગટ થનાર, અન્ન વગેરેથી જગતનું પોષણ કરનારા



૮૫ ધનુર્ધર શ્રી રામ રૂપે ધનુર્ધારી



૮૬ ભૂર્ભૂવો પૃથ્વી તથા સ્વર્ગની શોભારૂપ



૮૭ આધાર નીલય પૃથ્વી,, પાણી, પવન, અગ્નિ, આકાશ એ પંચ મહાભૂતોના પણ આધાર રૂપ



૮૮ પ્રજાગર નિત્ય જાગ્રત રહેનારા



૮૯ પ્રણવ ઓમકાર રૂપ



૯૦ પ્રમાણ પોતાના અસ્તિત્વમાં પોતે જ પ્રમાણભૂત



૯૧ યજ્ઞભૂત યજ્ઞના રક્ષણકર્તા



૯૨ અન્નમ્ અન્નરૂપ



૯૩ વૈખાન પાતાળમાં વસી રહેલા, હિરણ્યાક્ષનો વધ કરવા માટે વરાહનું સ્વરૂપ ધારણ કરી પૃથ્વીને જેમણે ખોદી હતી તે



૯૪ ક્ષિતીશ પૃથ્વીના ઈશ્વર



૯૫ પાપનાશન પાપનો નાશ કરનારા



૯૬ ચક્રી સુદર્શન ચક્રને ધારણ કરનારા



૯૭ ગદાધર ગદાને ધારણ કરનારા



૯૮ રથાંગપાણિ હાથમાં ચક્ર ધારણ કરનારા



૯૯ અક્ષોભ્ય કોઇનાથી ક્ષોભ પમાડી શકાય નહિં તેવા



૧૦૦ સર્વપ્રહરણાયુધ પ્રહાર કરવામાં ઉપયોગી સર્વ પ્રકારના આયુધોને ધારણ કરનાર



૧૦૧ યત તત યત શબ્દથી સ્વયંસિધ્ધ પરબ્રહ્મનો બોધ થાય છે. તત શબ્દ દ્વારા પરમાત્માનો બોધ થાય છે તે