જ્ઞાનનું ઝરણું

શુક્રવાર, 15 જાન્યુઆરી, 2010

ભજ ગોવિન્દમ્

भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढ़मते।
संप्राप्ते सन्निहिते काले न हि न हि रक्षति डुकृञ् करणे।। १।।
ભજ ગોવિન્દં ભજ ગોવિન્દં ગોવિન્દં ભજ મૂઢ઼મતે।
સંપ્રાપ્તે સન્નિહિતે કાલે ન હિ ન હિ રક્ષતિ ડુકૃઞ્ કરણે।। ૧।।
[ભાવાર્થ]
હે મૂઢ ! ગોવિન્દની શોધ કર, ગોવિન્દના ભજન કર અને ગોવિન્દનું જ ધ્યાન કર. અંતિમ સમય પર વ્યાકરણના નિયમો તારી રક્ષા નહિ કરી શકશે.
मूढ़ जहीहि धनागमतृष्णां कुरू सद्बुद्धिं मनसिवितृष्णाम्।
यल्लभसे निजकर्मोपात्तं वित्तं तेन विनोदय चित्तम्।। २।।
મૂઢ઼ જહીહિ ધનાગમતૃષ્ણાં કુરૂ સદ્બુદ્ધિં મનસિવિતૃષ્ણામ્।
યલ્લભસે નિજકર્મોપાત્તં વિત્તં તેન વિનોદય ચિત્તમ્।। ૨।।
[ભાવાર્થ]
હે મૂઢ ! ધન સંગ્રહની તૃષ્ણા છોડી દે. મનમાં વૈરાગ્ય લાવીને સત્ તત્ત્વનું ચિંતન કર. પોતાના કર્મ ફળના અનુસાર જે ધન પ્રાપ્ત થાય તેનાથી પોતાના મનને સંતુષ્ટ રાખ.
नारीस्तनभर नाभीदेशं दृष्ट्रवा मा गा मोहावेशम्।
एतन्मांसावसादि विकारं मनसि विचिन्तय वारं वारम्।।३।।
નારીસ્તનભર નાભીદેશં દૃષ્ટ્રવા મા ગા મોહાવેશમ્।
એતન્માંસાવસાદિ વિકારં મનસિ વિચિન્તય વારં વારમ્।।૩।।
[ભાવાર્થ]
સુંદર સ્ત્રીના સ્તન અને નાભિદેશને જોઇને મોહમાં ના પડ. એ તો ફક્ત માંસ અને મજ્જાનો વિકાર છે. પોતાના મનમાં આ વાતનો વારંવાર વિચાર કર.
नलिनीदलगत जलमतितरलं तद्वज्जीवितमतिशक्वपलम्।
विद्धि व्याध्यभिमानग्रस्तं लोकं शोकहतं च समस्तम् ।। ४।।
નલિનીદલગત જલમતિતરલં તદ્વજ્જીવિતમતિશક્વપલમ્।
વિદ્ધિ વ્યાધ્યભિમાનગ્રસ્તં લોકં શોકહતં ચ સમસ્તમ્ ।। ૪।।
[ભાવાર્થ]
કમળના પાન ઉપર પાણીનું ટીપું અત્યંત અસ્થિર હોય છે. જીવન પણ આ પ્રકારે જ અસ્થિર છે. આ વાતને સારી રીતે સમજી લે કે સંપૂર્ણ સંસાર વ્યાધિ, અભિમાન, શોક વગેરેથી ગ્રસિત છે.
यावद्वित्तोपार्जन सक्ताः तावन्निज परिवारो रक्तः।
पश्चाज्जीवति जर्जर देहे वार्ता कोऽपि न पृच्छति गेहे।। ५।।
યાવદ્વિત્તોપાર્જન સક્તાઃ તાવન્નિજ પરિવારો રક્તઃ।
પશ્ચાજ્જીવતિ જર્જર દેહે વાર્તા કોઽપિ ન પૃચ્છતિ ગેહે।। ૫।।
[ભાવાર્થ]
જ્યાર સુધી તારામાં ધન કમાવવાની શક્તિ છે ત્યાર સુધી જ તારો પરિવાર તારી સાથે પ્રેમ રાખશે. વૃદ્ધાવસ્થામાં શરીર જર્જર (જીર્ણ, ક્ષીણ થયેલું) થઇ જશે અને તારી વાત કોઈ નહીં પૂછશે.
यावत्पवनो निवसति देहे तावत्पृच्छति कुशलं गेहे।
गतवति वायौ देहापाये भार्या विभ्यति तस्मिन्काये।। ६।।
યાવત્પવનો નિવસતિ દેહે તાવત્પૃચ્છતિ કુશલં ગેહે।
ગતવતિ વાયૌ દેહાપાયે ભાર્યા વિભ્યતિ તસ્મિન્કાયે।। ૬।।
[ભાવાર્થ]
જ્યાર સુધી શરીરમાં પ્રાણ છે ત્યાર સુધી જ ઘરમાં તારી કુશળતા પૂછવામાં આવશે. પ્રાણ નીકળી જવા પછી એ શરીરથી તારી પત્ની પણ ભયભીત થવા લાગે છે.
बालस्तावत्क्रीडासक्तः तरूणस्तावत्तरूणीसक्तः।
वृद्धस्तावच्चिन्तासक्तः परमे ब्रह्मणि कोऽपि न सक्तः।।७।।
બાલસ્તાવત્ક્રીડાસક્તઃ તરૂણસ્તાવત્તરૂણીસક્તઃ।
વૃદ્ધસ્તાવચ્ચિન્તાસક્તઃ પરમે બ્રહ્મણિ કોઽપિ ન સક્તઃ।।૭।।
[ભાવાર્થ]
બાળપણમાં રમત-ગમતમાં આસક્તિ (મોહ) રહે છે, યુવાવસ્થામાં તરુણી (જુવાન) યુવતીમાં મોહ રહે છે, અને વૃદ્ધાવસ્થામાં ચિંતામગ્ન રહે છે; પરંતુ પરબ્રહ્મ પરમાત્મામાં કોઇ આસક્ત થતું નથી.
का ते कान्ता कस्ते पुत्रः संसारोऽयमतीव विचित्रः।
कस्य त्वं कः कुत आयातः तत्त्वं चिन्तय तदिह भ्रातः।।८।।
કા તે કાન્તા કસ્તે પુત્રઃ સંસારોઽયમતીવ વિચિત્રઃ।
કસ્ય ત્વં કઃ કુત આયાતઃ તત્ત્વં ચિન્તય તદિહ ભ્રાતઃ।।૮।।
[ભાવાર્થ]
કોણ તારી પત્ની છે? કોણ તારો પુત્ર છે? વાસ્તવમાં સંસાર ખૂબ જ વિચિત્ર છે. તું અહીં કોનો છે? ક્યાંથી આવ્યો છે? હે ભાઇ, ક્યારેક આ વાતનો પણ વિચાર કર.
सत्सङ्गत्वे निस्सङ्गत्वं निस्सङ्गत्वे निर्मोहत्वम्।
निर्मोहत्वे निश्चलतत्त्वं निश्चलतत्त्वे जीवन्मुक्तिः।। ९।।
સત્સઙ્ગત્વે નિસ્સઙ્ગત્વં નિસ્સઙ્ગત્વે નિર્મોહત્વમ્।
નિર્મોહત્વે નિશ્ચલતત્ત્વં નિશ્ચલતત્ત્વે જીવન્મુક્તિઃ।। ૯।।
[ભાવાર્થ]
સત્સંગથી અનાસક્તિ પ્રાપ્ત થાય છે, અનાસક્તિથી મોહના બંધનો તૂટે છે. મોહના બંધનો તૂટવાથી શાશ્વત તત્ત્વની પ્રાપ્તિ થાય છે અને શાશ્વત તત્ત્વની પ્રાપ્તિ થવાથી જીવન-મુક્તિનો લાભ પ્રાપ્ત થાય છે.
वयसि गते कः कामविकारः शुष्के कः कासारः।
क्षीणे वित्ते कः परिवारो ज्ञाते तत्त्वे कः संसारः।। १०।।
વયસિ ગતે કઃ કામવિકારઃ શુષ્કે કઃ કાસારઃ।
ક્ષીણે વિત્તે કઃ પરિવારો જ્ઞાતે તત્ત્વે કઃ સંસારઃ।। ૧૦।।
[ભાવાર્થ]
જેમ યુવાવસ્થા પૂરી થતા કામ-વિકાર નષ્ટ થઈ જાય છે, અને જેમ પાણી સૂકાઈ જવા પર તળાવ નથી રહેતું, તેમ જ ધન નષ્ટ થઈ જવા પર પરિવાર નથી રહેતું અને તત્ત્વ-બોધ થવાથી સંસાર પણ નથી રહેતું.
मा कुरू धनजनयौवनगर्व हरति निमेषात्कालः सर्वम्।
मायामयमिदमखिलं बुध्वा ब्रह्मपदं त्वं प्रविश विदित्वा।।११।।
મા કુરૂ ધનજનયૌવનગર્વ હરતિ નિમેષાત્કાલઃ સર્વમ્।
માયામયમિદમખિલં બુધ્વા બ્રહ્મપદં ત્વં પ્રવિશ વિદિત્વા।।૧૧।।
[ભાવાર્થ]
ધન, જન અને યૌવન પર અભિમાન નહીં કરવું જોઇએ. કાળ આ બધાને ક્ષણ માત્રમાં નાશ કરી દે છે. આ બધાને માયાનો ભ્રમ સમજો અને શીઘ્ર બ્રહ્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરો.
दिनयामिन्यौ सायं प्रातः शिशिरवसन्तौ पुनरायातः।
कालः क्रीडति गच्छत्यायुः तदपि न मुञ्चत्याशावायुः।।१२।।
દિનયામિન્યૌ સાયં પ્રાતઃ શિશિરવસન્તૌ પુનરાયાતઃ।
કાલઃ ક્રીડતિ ગચ્છત્યાયુઃ તદપિ ન મુઞ્ચત્યાશાવાયુઃ।।૧૨।।
[ભાવાર્થ]
દિવસ અને રાત, સવાર અને સાંજ, સૂર્ય અને ગરમી વારંવાર આવે છે અને જાય છે. કાળની આ ક્રીડા સાથે આયુષ્ય પણ ઓસરતું (ઘટતું) જાય છે. તો પણ આશાઓની આંધીથી કોઈ નથી બચી શકતું. [તો પણ કામનાઓ પૂર્ણ નથી થતી. નવી નવી કામનાઓ જન્મ લીધા જ કરે છે.]
का ते कान्ता धनगतचिन्ता वातुल किं लत नास्ति नियन्ता।
त्रिजगति सज्जनसंगतिरेका भवति भवार्णवतरणे नौका।। १३।।
કા તે કાન્તા ધનગતચિન્તા વાતુલ કિં લત નાસ્તિ નિયન્તા।
ત્રિજગતિ સજ્જનસંગતિરેકા ભવતિ ભવાર્ણવતરણે નૌકા।। ૧૩।।
[ભાવાર્થ]
હે વ્યાકુળ મૂઢ ! સ્ત્રી, ધન વગેરેની ચિંતા શું કામ કરે છે. શું તારો કોઈ નિયંતા નથી? ત્રણેય લોકોમાં કેવળ સત્સંગ જ એ નૌકા છે જે જન્મ-મરણના સાગરને પાર કરી શકે છે.
जटिलो मुण्डी लुञ्छितकेशः काषायाम्बर बहुकृतवेषः।
पश्यन्नपि च न पश्यति मूढ़ो ह्वुदरनिमित्तं बहुकृतवेषः।। १४।।
જટિલો મુણ્ડી લુઞ્છિતકેશઃ કાષાયામ્બર બહુકૃતવેષઃ।
પશ્યન્નપિ ચ ન પશ્યતિ મૂઢ઼ો હ્વુદરનિમિત્તં બહુકૃતવેષઃ।। ૧૪।।
[ભાવાર્થ]
જટાધારી, માથું મુંડાવેલો, ચૂંટી ચૂંટીને વાળ કાઢી નાંખેલા માથાવાળો,  ભગવાં વસ્ત્ર ધારણ કરેલ – આ બધા મૂઢ છે. તેઓ બધું જાણે છે છતાં પણ અંધ છે. તેઓ જુદા-જુદા પ્રકારના વસ્ત્રો ફક્ત પેટ ભરવા માટે જ ધારણ કરે છે.
अग्ङं गलितं पलितं मुण्डं दशनविहीनं जातं तुण्डम्।
वृद्धो याति गृहीत्वा दण्डं तदपि न मुञ्चत्याशापिण्डम्।। १५।।
અગ્ઙં ગલિતં પલિતં મુણ્ડં દશનવિહીનં જાતં તુણ્ડમ્।
વૃદ્ધો યાતિ ગૃહીત્વા દણ્ડં તદપિ ન મુઞ્ચત્યાશાપિણ્ડમ્।। ૧૫।।
[ભાવાર્થ]
વૃદ્ધાવસ્થામાં શરીર જર્જર થઈ ગયું છે, માથાના વાળ સફેદ થઈ ગયા છે, દાંત પડી ગયા છે, લાકડીના સહારે ચાલવું પડે છે અર્થાત્ મૃત્યુ નિકટ આવી ગયું છે પરંતુ આશાઓના બંધન હજી પણ નથી છૂટતા.
अग्रे वहिः पृष्ठे भानुः रात्रौ चुबुक समर्पित जानुः।
करतल भिक्षस्तरूतल वासः तदपि न मुञ्चत्याशा पाशः।।१६।।
અગ્રે વહિઃ પૃષ્ઠે ભાનુઃ રાત્રૌ ચુબુક સમર્પિત જાનુઃ।
કરતલ ભિક્ષસ્તરૂતલ વાસઃ તદપિ ન મુઞ્ચત્યાશા પાશઃ।।૧૬।।
[ભાવાર્થ]
આગળ અગ્નિ છે, પાછળ સૂર્ય છે અને રાત્રે ટૂંટિયું વાળે છે તથા હાથમાં ભિક્ષા ગ્રહણ કરે છે, વૃક્ષ નીચે સૂવાવાળા હોવા છતાં પણ આશાઓના બંધનનોથી મુક્ત નથી.
कुरूते गग्ङासागरगमनं व्रतपरिपालनमथवा दानम्।
ज्ञानविहीनः सर्वमतेन भजति न मुक्तिं जन्मशतेन।। १७।।
કુરૂતે ગગ્ઙાસાગરગમનં વ્રતપરિપાલનમથવા દાનમ્।
જ્ઞાનવિહીનઃ સર્વમતેન ભજતિ ન મુક્તિં જન્મશતેન।। ૧૭।।
[ભાવાર્થ]
કોઈ ભલેને ગંગાસાગર (જ્યાં ગંગા સાગરને મળે છે ત્યાં) વગેરે તીર્થોની યાત્રા કરે છે, વ્રત રાખે છે, અથવા દાન કરે છે પરંતુ અજ્ઞાની વ્યક્તિ સૈકડો જન્મોમાં પણ મુક્તિ નહીં પ્રાપ્ત કરી શકે, આ તથ્ય બધા લોકો સ્વીકાર કરે છે.
सुरमन्दिर तरूमूलनिवासः शय्या भूतलमजिनं वासः।
सर्वपरिग्रहभोगत्यागः कस्यसुखं न करोति विरागः।। १८।।
સુરમન્દિર તરૂમૂલનિવાસઃ શય્યા ભૂતલમજિનં વાસઃ।
સર્વપરિગ્રહભોગત્યાગઃ કસ્યસુખં ન કરોતિ વિરાગઃ।। ૧૮।।
[ભાવાર્થ]
જે લોકો દેવતાઓના મંદિર અને વૃક્ષની નીચે નિવાસ કરે છે, ખુલ્લી જમીન ઉપર શયન કરે છે, મૃગચર્મ પરિધાન કરે છે, અને આ પ્રકારે બધા લોકોનો ત્યાગ કરી દે છે, આવું વૈરાગ્ય કોને સુખ આપતો નથી?
योगरतो वा भोगरतो वा सग्ङरतो वा सग्ङविहीनः।
यस्य ब्रह्मणि रमते चित्तं नन्दति नन्दति नन्दत्येव।। १९।।
યોગરતો વા ભોગરતો વા સગ્ઙરતો વા સગ્ઙવિહીનઃ।
યસ્ય બ્રહ્મણિ રમતે ચિત્તં નન્દતિ નન્દતિ નન્દત્યેવ।। ૧૯।।
[ભાવાર્થ]
ભલે ને કોઈ યોગનો અભ્યાસ કરતો હોય કે ભોગમાં રાચતો હોય, ભલે ને અનેક લોકોની સાથે રહેતો હોય કે એકલો; જેનું ચિત્ત બ્રહ્મ-ચિંતનમાં મગ્ન છે વાસ્તવમાં તે જ સુખી છે.
भगवद्भीता किञ्चिदधीता गग्ङाजल लवकणिका पीता।
सकृदपि येन मुरारिसमर्चा क्रियते तस्य यमेन न चर्चा।। २०।।
ભગવદ્ભીતા કિઞ્ચિદધીતા ગગ્ઙાજલ લવકણિકા પીતા।
સકૃદપિ યેન મુરારિસમર્ચા ક્રિયતે તસ્ય યમેન ન ચર્ચા।। ૨૦।।
[ભાવાર્થ]
જે ભગવદ્ ગીતાનો થોડો પણ અભ્યાસ કરે છે, ગંગાજળનું એક ટીપાનું પણ પાન કરે છે અને ભક્તિ-ભાવથી ભગવાનનું સ્મરણ કરે છે; એણે મૃત્યુના સ્વામી યમરાજ સાથે ચર્ચા કરવાની રહેતી નથી.
पुनरपि जननं पुनरपि मरणं जननीजठरे शयनम्।
इह संसारे बहुदुस्तारे कृपयाऽपारे पाहि मुरारे।। २१।।
પુનરપિ જનનં પુનરપિ મરણં જનનીજઠરે શયનમ્।
ઇહ સંસારે બહુદુસ્તારે કૃપયાઽપારે પાહિ મુરારે।। ૨૧।।
[ભાવાર્થ]
વારંવાર જન્મ મળવો, વારંવાર મરવું અને વારંવાર માતાના ઉદરમાં સૂવું વગેરે બહુ કષ્ટકારક છે. આ દુખઃમય સંસારથી પાર થવું ઘણું કઠિન છે. હે ભગવાન ! આપની અપાર કૃપાથી મારો ઉદ્ધાર કરો.
रथ्या चर्पट विरचित कन्थः पुण्यापुण्य विवर्जित पन्थः।
योगी योगनियोजित चित्तो रमते बालोन्मत्तवदेव।। २२।।
રથ્યા ચર્પટ વિરચિત કન્થઃ પુણ્યાપુણ્ય વિવર્જિત પન્થઃ।
યોગી યોગનિયોજિત ચિત્તો રમતે બાલોન્મત્તવદેવ।। ૨૨।।
[ભાવાર્થ]
જે યોગી ચીથડા એકઠા કરીને એના વસ્ત્ર પહેરે છે, પુણ્ય અને પાપનો માર્ગ છોડીને ચાલે છે, જેનું ચિત્ત યોગાભ્યાસથી અનુશાસીત છે, તે ઈશ્વર ભાવમાં નિમગ્ન રહેવાવાળા બાળકો કે ઉન્મત્ત (ભાવ વગરના) વ્યક્તિઓની જેમ નિર્દ્વંદ્વ રહે છે.
कस्त्वं कोऽहं आयातः का मे जननी को मे तातः।
इति परिभावय सर्वमसारं विश्वं त्यक्त्वा स्वप्नविचारम्।। २३।।
કસ્ત્વં કોઽહં આયાતઃ કા મે જનની કો મે તાતઃ।
ઇતિ પરિભાવય સર્વમસારં વિશ્વં ત્યક્ત્વા સ્વપ્નવિચારમ્।। ૨૩।।
[ભાવાર્થ]
તું કોણ છે? હું કોણ છું? હું ક્યાંથી આવ્યો છું? મારી માતા કોણ છે? મારા પિતા કોણ છે? આ પ્રશ્નો પર વિચાર કરો અને આ અસાર સંસારને સ્વપ્ન માત્ર સમજીને છોડી દો.
त्वयि मयि चान्यत्रैको विष्णुः व्यर्थ कुव्यसि मय्यसहिष्णुः।
भव समचित्तः सर्वत्र त्वं वांछस्यचिराद्यदि विष्णुत्वम्।। २४।।
ત્વયિ મયિ ચાન્યત્રૈકો વિષ્ણુઃ વ્યર્થ કુવ્યસિ મય્યસહિષ્ણુઃ।
ભવ સમચિત્તઃ સર્વત્ર ત્વં વાંછસ્યચિરાદ્યદિ વિષ્ણુત્વમ્।। ૨૪।।
[ભાવાર્થ]
તારામાં, મારામાં અને બધા સ્થાનોમાં કેવળ એક સર્વવ્યાપી ભગવાન છે. અસહિષ્ણુ (અધીર) હોવાથી તું વ્યર્થ જ મારા ઉપર ક્રોધ કરે છે. જો તું ઇચ્છતો હોય કે તને ઈશ્વર પ્રાપ્ત થાય તો તું બધા સંજોગોમાં સમતાવાળો (સમભાવ વાળો) થા.
शत्रौ मित्रे पुत्रे बन्धौ मा कुरू यत्नं विग्रहसन्धौ।
सर्वस्मिन्नपि पश्यात्मानं सर्वत्रोत्सृज भेदाज्ञानम्।। २५।।
શત્રૌ મિત્રે પુત્રે બન્ધૌ મા કુરૂ યત્નં વિગ્રહસન્ધૌ।
સર્વસ્મિન્નપિ પશ્યાત્માનં સર્વત્રોત્સૃજ ભેદાજ્ઞાનમ્।। ૨૫।।
[ભાવાર્થ]
બીજા લોકો સાથે લડવામાં અથવા એમની સાથે મિત્રતા કરવામાં પોતાની શક્તિનો વ્યર્થ (અપવ્યય) નહીં કર. તારા સગા-સંબંધીઓની સાથે રાગ-દ્વેષ નહીં રાખ. સર્વત્ર પોતાના સ્વરૂપને (પરમ આત્માને) જ જો, ભેદ બુદ્ધિનો ત્યાગ કરી અજ્ઞાનથી છુટકારો મેળવ.
कामं क्रोधं लोभं मोहं त्यक्त्वाऽऽत्मानं पश्यति सोऽहम्।
आत्मज्ञान विहीना मूढ़ाः ते पच्यन्ते नरकनिगूढ़ः।। २६।।
કામં ક્રોધં લોભં મોહં ત્યક્ત્વાઽઽત્માનં પશ્યતિ સોઽહમ્।
આત્મજ્ઞાન વિહીના મૂઢ઼ાઃ તે પચ્યન્તે નરકનિગૂઢ઼ઃ।। ૨૬।।
[ભાવાર્થ]
કામ, ક્રોધ, લોભ અને મોહને છોડી જ્ઞાની સર્વત્ર આત્મ સ્વરૂપ જ જુએ છે. એ સમજે છે કે હું એ જ પરમ આત્મા છું. પરંતુ આત્મજ્ઞાન રહિત મૂઢ લોકો અજ્ઞાનના કારણે નર્કની વેદનાઓ સહન કરે છે.
गेयं गीतानामसहस्रं ध्येयं श्रीपतिरूपमजस्रम् ।
नेयं सज्जनसंगे चित्तं देयं दीनजनाय च वित्तम्।। २७।।
ગેયં ગીતાનામસહસ્રં ધ્યેયં શ્રીપતિરૂપમજસ્રમ્ ।
નેયં સજ્જનસંગે ચિત્તં દેયં દીનજનાય ચ વિત્તમ્।। ૨૭।।
[ભાવાર્થ]
ભગવદ્ ગીતા અને વિષ્ણુસહસ્રનામનો પાઠ કરવો. ભગવાન વિષ્ણુના સ્વરૂપનું નિરંતર ધ્યાન કરવું જોઇએ. સદા સત્સંગમાં ચિત્ત લગાવવું જોઇએ અને ગરીબ લોકોને દાન કરવું જોઇએ.
सुखतः क्रियते रामाभोगः पश्चाद्धन्त शरीरे रोगः।
यद्यपि लोके मरणं शरणं तदपि न मुञ्चति पापाचरणम्।। २८।।
સુખતઃ ક્રિયતે રામાભોગઃ પશ્ચાદ્ધન્ત શરીરે રોગઃ।
યદ્યપિ લોકે મરણં શરણં તદપિ ન મુઞ્ચતિ પાપાચરણમ્।। ૨૮।।
[ભાવાર્થ]
પહેલા તો લોગ સુખના માટે સ્ત્રી ભોગમાં લિપ્ત રહે છે અને પાછળથી શારીરિક રોગોનો શિકાર બનવું પડે છે. યદ્યપિ (જો કે) આ સંસારમાં આખરી અંત મૃત્યુ જ છે, તો પણ લોકો પાપાચરણ નથી છોડતા.
अर्थमनर्थ भावय नित्यं नास्ति ततः सुखलेशः सत्यम्।
पुत्रादपि धनभाजां भीतिः सर्वत्रैषा विहिता रीतिः।।२९।।
અર્થમનર્થ ભાવય નિત્યં નાસ્તિ તતઃ સુખલેશઃ સત્યમ્।
પુત્રાદપિ ધનભાજાં ભીતિઃ સર્વત્રૈષા વિહિતા રીતિઃ।।૨૯।।
[ભાવાર્થ]
લોકોની રુચિ હંમેશા અનર્થકારી ધનમાં જ બની રહે છે. ‘પૈસા અનર્થકારી છે’ એવો નિત્ય વિચાર કર. સત્યતા એ છે કે ધનથી કિંચિત માત્ર પણ સુખ નથી મળતું. ધની લોકોને પોતાના પુત્રથી પણ ભય રહે છે. ધનની આ રીત બધે જાણીતી છે.
प्राणायामं प्रत्याहारं नित्यानित्यविवेकविचारम्।
जाप्यसमेत समाधिविधानं कुर्ववधानं महदवधानम्।। ३०।।
પ્રાણાયામં પ્રત્યાહારં નિત્યાનિત્યવિવેકવિચારમ્।
જાપ્યસમેત સમાધિવિધાનં કુર્વવધાનં મહદવધાનમ્।। ૩૦।।
[ભાવાર્થ]
ઘણી સાવધાની પૂર્વક પહેલા પ્રાણાયામનો અભ્યાસ કરો, મનને બધી બાજુથી હટાવીને અંતર્મુખી બનાવો, નિત્ય અને અનિત્ય વસ્તુઓનો વિવેક પૂર્વક વિચાર કરો અને પછી જપ કરીને સમાધિનો અભ્યાસ કરો.
गुरूचरणाम्बुजनिर्भरभक्तः संसारादचिराद्भव मुक्तः।
सेन्द्रिय मानस नियमादेवं द्रक्ष्यसि निजह्रदयस्थं देवम्।।३१।।
ગુરૂચરણામ્બુજનિર્ભરભક્તઃ સંસારાદચિરાદ્ભવ મુક્તઃ।
સેન્દ્રિય માનસ નિયમાદેવં દ્રક્ષ્યસિ નિજહ્રદયસ્થં દેવમ્।।૩૧।।
[ભાવાર્થ]
હે ગુરુના ચરણોમાં ભાવભક્તિ રાખનાર ! તું શીઘ્ર સંસાર-સાગરને પાર કરીશ. તું ઇન્દ્રિયોને અને મનને વશમાં કરીશ. તું તારા હ્રદયમાં શીઘ્ર ભગવાનનો સાક્ષાત્કાર કરીશ.


આભાર  સ્ત્રોત >>>>     સનાતન જાગૃતિ

હનુમાન ચાલીસા

दोहा

श्री गुरु चरन सरोज रज, निज मन मुकुरु सुधारि ।
बरनउं रघुबर बिमल जसु, जो दायकु फल चारि ॥
શ્રી ગુરૂ ચરન સરોજ રજ, નિજ મન મુકુરૂ સુધારિ |
બરનઉં રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ ॥
ભાવાર્થ – શ્રી મહારાજના ચરણ કમળોની ધૂળથી મારા મનરૂપી દર્પણને પવિત્ર કરી મેં શ્રી રઘુવીરના નિર્મલ યશનું વર્ણન કરું છું, જે ચારો ફળ (ધર્મ, અર્થ, કામ, અને મોક્ષ) આપનાર છે.
बुद्धिहीन तनु जानके, सुमिरौं पवन कुमार ।
बल बुद्धि विद्या देहु मोहिं, हरहु कलेश विकार ॥
બુદ્ધિહીન તનુ જાનકે, સુમિરૌં પવન કુમાર |
બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિં, હરહુ કલેશ વિકાર ॥
ભાવાર્થ – હે પવનપુત્ર, મેં આપનું સ્મરણ કરું છું. આપ તો જાણો જ છો કે મારું શરીર અને બુદ્ધિ નિર્બળ છે. મને શારીરિક બળ, સદબુદ્ધિ, તથા જ્ઞાન આપો અને મારા દુઃખો તથા દોષોનું હરણ કરો.
चौपाई
जय हनुमान ज्ञान गुन सागर । जय कपीस तिहुं लोक उजागर ॥
જય હનુમાન જ્ઞાન ગુન સાગર | જય કપીસ તિહું લોક ઉજાગર ॥
ભાવાર્થ – હે કેસરીનન્દન, આપની જય હો ! આપના જ્ઞાન અને ગુણની કોઈ સીમા નથી. હે કપીશ્વર ! આપની જય હો ! ત્રણેય લોકો (સ્વર્ગ-લોક, ભૂ-લોક, અને પાતાળ-લોક) માં આપની કીર્તિ ઉજાગર છે.
रामदूत अतुलित बल धामा । अंजनि पुत्र पवन सुत नामा ॥
રામદૂત અતુલિત બલ ધામા | અંજનિ પુત્ર પવન સુત નામા ॥
ભાવાર્થ – હે પવનસુત, અંજનીનન્દન ! શ્રી રામદૂત ! આ સંસારમાં આપની સમાન બીજું કોઇ પણ બળવાન નથી.
महावीर विक्रम बजरंगी । कुमति निवार सुमति के संगी ॥
મહાવીર વિક્રમ બજરંગી | કુમતિ નિવાર સુમતિ કે સંગી ॥
ભાવાર્થ – હે બજરંગબલી ! આપ મહાવીર અને વિશિષ્ટ પરાક્રમી છો. આપ દુર્બુદ્ધિને દૂર કરનાર છો અને સુબુદ્ધિના સહાયક છો.
कंचन बरन विराज सुवेसा । कानन कुण्डल कुंचित केसा ॥
કંચન બરન વિરાજ સુવેસા | કાનન કુણ્ડલ કુંચિત કેસા ॥
ભાવાર્થ – આપનો રંગ કંચન જેવો છે. સુન્દર વસ્ત્રોંથી તથા કાનોમાં કુણ્ડળ અને ધુંધરાળા વાળોથી આપ સુશોભિત છો.
हाथ बज्र और ध्वजा बिराजै । कांधे मूंज जनेऊ साजै ॥
હાથ બજ્ર ઔર ધ્વજા બિરાજૈ | કાંધે મૂંજ જનેઊ સાજૈ ॥
ભાવાર્થ – આપના હાથમાં વજ્ર અને ધ્વજા છે તથા આપના કાન્ધા પર મૂંજની જનોઈ શોભાયમાન છે.
शंकर सुवन केसरी नन्दन । तेज प्रताप महा जग बन्दन ॥
શંકર સુવન કેસરી નન્દન | તેજ પ્રતાપ મહા જગ બન્દન ॥
ભાવાર્થ – હે શંકર ભગવાનના અંશ ! કેસરીનન્દન ! આપના પરાક્રમ અને મહાન યશની આખા સંસારમાં વન્દના થાય છે.
विद्यावान गुनी अति चातुर । राम काज करिबे को आतुर ॥
વિદ્યાવાન ગુની અતિ ચાતુર | રામ કાજ કરિબે કો આતુર ॥
ભાવાર્થ – આપ અત્યંત ચતુર, વિદ્યાવાન, અને ગુણવાન છો. આપ સદા ભગવાન શ્રીરામના કાર્યો કરવા માટે આતુર રહો છો.
प्रभु चरित्र सुनिबे को रसिया । राम लखन सीता मन बसिया ॥
પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા | રામ લખન સીતા મન બસિયા ॥
ભાવાર્થ – આપ શ્રીરામના ગુણગાન સાંભળવામાં આનન્દ રસનો અનુભવ કરો છો. માતા સીતા અને લક્ષ્મણ સહિત ભગવાન શ્રીરામ આપના મન અને હ્રદયમાં વસે છે.
सूक्ष्म रूप धरि सियहिं दिखावा । विकट रूप धरि लंक जरावा ॥
સૂક્ષ્મ રૂપ ધરિ સિયહિં દિખાવા | વિકટ રૂપ ધરિ લંક જરાવા ॥
ભાવાર્થ – આપે અતિ સૂક્ષ્મ રૂપ ધારણ કરી માતા સીતાને બતાવ્યું તથા વિરાટ રૂપ ધારણ કરી રાવણની લંકાને સળગાવી નાખી.
भीम रुप धरि असुर संहारे । रामचन्द्र जी के काज संवारे ॥
ભીમ રૂપ ધરિ અસુર સંહારે | રામચન્દ્ર જી કે કાજ સંવારે ॥
ભાવાર્થ – આપે ભીમ (અથવા ભયંકર) રૂપ ધારણ કરી રાક્ષસોંનો સંહાર કર્યો અને ભગવાન શ્રી રામના ઉદ્દેશ્યને સફળ બનાવવામાં સહયોગ આપ્યો.
लाय संजीवन लखन जियाये । श्री रघुबीर हरषि उर लाये ॥
લાય સંજીવન લખન જિયાયે | શ્રી રઘુબીર હરષિ ઉર લાયે ॥
ભાવાર્થ – આપે સંજીવની બુટ્ટી લાવી લક્ષ્મણજી ને પ્રાણ દાન આપ્યું અને શ્રીરામે હર્ષિત થઇને આપને હ્રદયથી લગાવી દીધા.
रघुपति कीन्हीं बहुत बड़ाई । तुम मम प्रिय भरतहि सम भाई ॥
રઘુપતિ કીન્હીં બહુત બડ઼ાઈ | તુમ મમ પ્રિય ભરતહિ સમ ભાઈ ॥
ભાવાર્થ – હે અંજનીનન્દન ! શ્રીરામે આપની ખુબજ પ્રશંસા કરી અને કહ્યું કે હનુમાન મને ભાઇ ભરત સમાન પ્રિય છે.
सहस बदन तुम्हारो यस गावैं । अस कहि श्रीपति कठं लगावैं ॥
સહસ બદન તુમ્કારિ યસ ગાવૈં | અસ કહિ શ્રીપતિ કઠં લગાવૈં ॥
ભાવાર્થ – “હજારો મુખોથી આપનું યશોગાન હો” એવું કહીને શ્રીરામચન્દ્રજીએ આપને તેમના હ્રદયથી લગાવી દીધા.
सनकादिक ब्रह्मादि मुनिसा । नारद सारद सहित अहीसा ॥
સનકાદિક બ્રહ્માદિ મુનિસા | નારદ સારદ સહિત અહીસા ॥
ભાવાર્થ – શ્રીસનતકુમાર, શ્રીસનાતન, શ્રીસનક, શ્રીસનન્દન આદિ મુનિ, બ્રહ્મા આદિ દેવતા, શેષનાગજી બધા આપનું ગુણગાન કરે છે.
जम कुबेर दिक्पाल जहां ते । कवि कोविद कहि सके कहां ते ॥
જમ કુબેર દિક્પાલ જહાં તે | કવિ કોવિદ કહિ સકે કહાં તે ॥
ભાવાર્થ – યમ, કુબેર આદિ તથા બધી દિશાઓના રક્ષક, કવિ, વિદ્વાન કોઇ પણ આપના યશનું સંપૂર્ણ વર્ણન કરવામાં સક્ષમ નથી.
तुम उपकार सुग्रीवहिं कीन्हा । राम मिलाय राज पद दीन्हा ॥
તુમ ઉપકાર સુગ્રીવહિં કીન્હા | રામ મિલાય રાજ પદ દીન્હા ॥
ભાવાર્થ – આપે વાનરરાજ સુગ્રીવની શ્રીરામચન્દ્રજી સાથે મુલાકાત કરાવી તેમના પર ઉપકાર કર્યો. એમને રાજા બનાવી દીધા.
तुम्हरो मंत्र विभीषण माना । लंकेश्वर भये सब जग जाना ॥
તુમ્હરો મંત્ર વિભીષણ માના | લંકેશ્વર ભયે સબ જગ જાના ॥
ભાવાર્થ – આપના પરામર્શનું વિભીષણજીએ અનુકરણ કર્યું, જેના ફલસ્વરૂપે તેઓ લંકાના રાજા બન્યા, આ વાત આખું સંસાર જાણે છે.
जुग सहस्त्र योजन पर भानू । लील्यो ताहि मधुर फल जानू ॥
જુગ સહસ્ત્ર યોજન પર ભાનૂ | લીલ્યો તાહિ મધુર ફલ જાનૂ ॥
ભાવાર્થ – જે સૂર્ય હજારો યોજન દૂર છે, જ્યા સુધી પહોંચવામાં હજારો યુગ લાગે છે, એ સૂર્યને આપ મીઠુ ફળ જાણીને ગળી ગયા.
प्रभु मुद्रिका मेलि मुख माहीं । जलधि लांघि गये अचरज नाहीं ॥
પ્રભુ મુદ્રિયા મેલિ મુખ માહીં | જલધિ લાંઘિ ગયે અચરજ નાહીં ॥
ભાવાર્થ – આપે ભગવાન શ્રીરામ દ્વારા આપેલ વીંટી (અંગૂઠી, મુદ્રિકા) મુખમાં રાખી સમુદ્ર પાર કર્યો. આપના માટે આમ સમુદ્ર ઓળંગવું કોઇ આશ્ચર્યની વાત નથી.
दुर्गम काज जगत के जेते । सुगम अनुग्रह तुम्हरे तेते ॥
દુર્ગમ કાજ જગત કે જેતે | સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે ॥
ભાવાર્થ – સંસારના કઠિન-થી-કઠિન કામ આપની કૃપાથી સહજતાથી પૂરા થઇ જાય છે.
राम दुआरे तुम रखवारे । होत न आज्ञा बिनु पैसारे ॥
રામ દુઆરે તુમ રખવારે | હોત ન આજ્ઞા બિનુ પૈસારે ॥
ભાવાર્થ – આપ શ્રીરામચન્દ્રજીના મહેલના દ્વારપાલ છો, આપની આજ્ઞા વિના જેમા કોઇ પ્રવેશ નથી કરી શકતું.
सब सुख लहै तुम्हारी सरना । तुम रक्षक काहू को डरना ॥
સબ સુખ લહૈ તુમ્હારી સરના | તુમ રક્ષક કાહૂ કો ડરના ॥
ભાવાર્થ – આપની શરણમાં આવનાર વ્યક્તિને બધા સુખ પ્રાપ્ત થઇ જાય છે અને કોઇ પ્રકારનો ભય નથી રહેતો.
आपन तेज सम्हारो आपै । तीनहु लोक हांक ते कांपै ॥
આપન તેજ સમ્હારો આપૈ | તીનહુ લોક હાંક તે કાંપૈ ॥
ભાવાર્થ – આપના વેગને કેવળ આપ જ સહન કરી શકો છો. આપની સિંહ ગર્જનાથી ત્રણેય લોકોના પ્રાણી કાંપી ઊઠે છે.
भूत पिशाच निकट नहिं आवै । महावीर जब नाम सुनावै ॥
ભૂત પિશાચ નિકટ નહીં આવૈ | મહાવીર જબ નામ સુનાવૈ ॥
ભાવાર્થ – હે અંજનિપૂત્ર ! જે આપના “મહાવીર” નામનું જપ કરે છે, ભૂત-પિશાચ જેવી દુષ્ટ આત્માઓ એનાથી દૂર રહે છે.
नासै रोग हरै सब पीरा । जपत निरंतर हनुमत वीरा ॥
નાસૈ રોગ હરૈ સબ પીરા | જપત નિરંતર હનુમત વીરા ॥
ભાવાર્થ – હે વીર હનુમાનજી ! આપના નામનું નિરંતર જપ કરવાથી બધા રોગ નષ્ટ થઇ જાય છે અને બધા કષ્ટ પણ દૂર થઇ જાય છે.
संकट ते हनुमान छुड़ावै । मन-क्रम-बचन ध्यान जो लावै ॥
સંકટ તે હનુમાન છુડ઼ાવૈ | મન-ક્રમ-બચન ધ્યાન જો લાવૈ ॥
ભાવાર્થ – જે મન-પ્રેમ-વચનથી પોતાનું ધ્યાન આપનામાં લગાવે છે, તેમને બધા દુઃખોથી આપ મુક્ત કરી દો છો.
सब पर राम तपस्वी राजा । तिनके काज सकल तुम साजा ॥
સબ પર રામ તપસ્વી રાજા | તિનકે કાજ સકલ તુમ સાજા ॥
ભાવાર્થ – રાજા શ્રીરામચન્દ્રજી સર્વશ્રેષ્ઠ તપસ્વી છે, તેમના બધા કાર્યોને આપે પૂર્ણ કર્યા છે.
और मनोरथ जो कोई लावै । सोइ अमित जीवन फल पावै ॥
ઔર મનોરથ જો કોઈ લાવૈ | સોઇ અમિત જીવન ફલ પાવૈ ॥
ભાવાર્થ – આપની કૃપાના પાત્ર જીવ કોઇપણ અભિલાષા કરે, એને તુરંત ફળ મળે છે. જીવ જે ફળ પ્રાપ્તિની કલ્પના પણ નથી કરી શકતો, એ ફળ એને આપની કૃપાથી મળી જાય છે. અર્થાત્ એની બધી મંગળકામનાઓ પૂર્ણ થઇ જાય છે.
चारों जुग परताप तुम्हारा । है परसिद्ध जगत उजियारा ॥
ચારોં હુગ પરતાપ તુમ્હારા | હૈ પરસિદ્ધ જગત ઉજિયારા ॥
ભાવાર્થ – આપનો યશ ચારો યુગો (સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, તથા કલિયુગ) માં વિદ્યમાન છે. સમ્પૂર્ણ સંસારમાં આપની કીર્તિ પ્રકાશમાન છે. આખું સંસાર આપનું ઉપાસક છે.
साधु संत के तुम रखवारे । असुर निकन्दन राम दुलारे ॥
સાધુ સંત કે તુમ રખવારે | અસુર નિકન્દન રામ દુલારે ॥
ભાવાર્થ – હે રામચન્દ્રજીના દુલારા હનુમાનજી ! આપ સાધુ-સંતો તથા સજ્જનો અર્થાત્ ધર્મની રક્ષા કરો છો તથા દુષ્ટોનો સર્વનાશ કરો છો.
अष्ट सिद्धि नव निधि के दाता । अस वर दीन जानकी माता ॥
સષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા | અસ વર દીન જાનકી માતા ॥
ભાવાર્થ – હે કેસરીનન્દન ! માતા જાનકીએ આપને એવું વરદાન આપ્યું છે, જેના કારણે આપ કોઇપણ ભક્તને “આઠ સિદ્ધિ” અને “નવ નિધિ” પ્રદાન કરી શકો છો.
આઠ સિદ્ધિઓ — અણિમા – સાધક અદ્ર્શ્ય રહે છે અને કઠિન-થી-કઠિન પદાર્થમાં પ્રવેશ કરી શકે છો. મહિમા – યોગી પોતાને વિરાટ બનાવી લે છે. ગરિમા – સાધક પોતાની ઇચ્છા મુજબ વજન વધારી શકે છે. લઘિમા – સાધક પોતાની ઇચ્છા મુજબ વજન ઘટાડી શકે છે. પ્રાપ્તિ – મનવાંછિત પદાર્થની પ્રાપ્તિ થાય છે. પ્રાકામ્ય – ઇચ્છા કરવા પર સાધક પૃથ્વીમાં ભળી શકે છે અથવા આકાશમાં ઊડી શકે છે. ઈશિત્વ – બધા પર શાસન કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે. વશિત્વ – અન્ય કોઈને વશમાં કરી શકાય છે.
નવ નિધિઓ — પદ્મ, મહાપદ્મ, શંખ, મકર, કચ્છપ, મુકુન્દ, કુન્દ, નીલ, બર્ચ્ચ – આ નવ નિધિઓ કહેવામાં આવી છે.
राम रसायन तुम्हरे पासा । सदा रहो रघुपति के दासा ॥
રામ રસાયન તુમ્હરે પાસા | સદા રહો રઘુપતિ કે દાસા ॥
ભાવાર્થ – આપ સદૈવ શ્રીરઘુનાથજીની શરણમાં રહો છો તેથી આપની પાસે વૃદ્ધાવસ્થા અને અન્ય અસાધ્ય રોગોના નાશ માટે “રામ-નામ” રૂપી રસાયણ (ઔષધિ) છે.
तुम्हरे भजन राम को पावै । जनम जनम के दुख बिसरावै ॥
તુમ્હરે ભજન રામ કો પાવૈ | જમન જનમ કે દુખ બિસરાવૈ ॥
ભાવાર્થ – આપના ભજન કરનાર ભક્તને ભગવાન શ્રીરામજીના દર્શન થાય છે અને એના જન્મ-જન્માંતરના દુખ દૂર થઇ જાય છે.
अंतकाल रधुबर पुर जाई । जहां जन्म हरि भक्त कहाई ॥
સંતકાલ રઘુબર પુર જાઈ | જહાં જન્મ હરિ ભક્ત કહાઈ ॥
ભાવાર્થ – આપના ભજનના પ્રભાવથી પ્રાણી અંત સમય શ્રીરઘુનાથજીના ધામે જાય છે. જો મૃત્યુલોકમાં જન્મ લેશે તો ભક્તિ કરશે અને શ્રીહરિ ભક્ત કહેવાશે.
और देवता चित्त न धरई । हनुमत सेइ सर्व सुख करई ॥
ઔર દેવતા ચિત્ત ન ધરઈ | હનુમત સેઇ સર્વ સુખ કરઈ ॥
ભાવાર્થ – હે હનુમાનજી ! જો ભક્ત સાચા મનથી આપની સેવા કરે છે તો એને બધા પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે. એને અન્ય કોઇ દેવતાની પૂજા કરવાની આવશ્યકતા નથી રહેતી.
संकट कटै मिटै सब पीरा । जो सुमिरै हनुमत बलबीरा ॥
સંકટ કટૈ મિટૈ સબ પીરા | જો સુમિરૈ હનુમત બલબીરા ॥
ભાવાર્થ – હે બળવીર હનુમાનજી ! જે વ્યક્તિ માત્ર આપનું સ્મરણ કરે છે, એના બધા સંકટ મટી જાય છે અને બધી પીડાઓ પણ મટી જાય છે.
जय जय जय हनुमान गोसाइँ । कृपा करहु गुरु देव की नाइँ ॥
જય જય જય હનુમાન ગોસાઇઁ | કૃપા કરહુ ગુરૂ દેવ કી નાઇઁ ॥
ભાવાર્થ – હે વીર હનુમાનજી ! આપની સદા જય હો, જય હો, જય હો. આપ મુજ પર શ્રીગુરૂજીની સમાન કૃપા કરો જેથી મેં સદા આપની ઉપાસના કરતો રહું.
जो शत बार पाठ कर कोई । छूटहिं बन्दि महा सुख होई ॥
જો શત બાર પાઠ કર કોઈ | છૂટહિં બન્દિ મહા સુખ હોઈ ॥
ભાવાર્થ – જે વ્યક્તિ શુદ્ધ હ્રદયથી પ્રતિદિન આ હનુમાન ચાલીસાનો સો વાર પાઠ કરશે તે બધા સાંસારિક બંધનો થી મુક્ત થશે અને તેને પ્રેમાનંદની પ્રાપ્તિ થશે.
जो यह पढ़े हनुमान चालीसा । होय सिद्धि साखी गौरीसा ॥
જો યહ પઢ઼ે હનુમાન ચાલીસા | હોય સિદ્ધિ સાખી ગૌરીસા ॥
ભાવાર્થ – ગૌરી પતિ શંકર ભગવાને આ હનુમાન ચાલીસા લખાવી તેથી તેઓ સાક્ષી છે કે જે આ હનુમાન ચાલીસા વાચસે તેને નિશ્ચય સિદ્ધિ પ્રાપ્ત થશે.
तुलसीदास सदा हरी चेरा । कीजै नाथ ह्रदय मंह डेरा ॥
તુલસીદાસ સદા હરી ચેરા | કીજૈ નાથ હ્રદય મંહ ડેરા ॥
ભાવાર્થ – હે મારા નાથ હનુમાનજી ! ‘તુલસીદાસ’ સદા “શ્રીરામ” ના દાસ છે, તેથી આપ એમના હ્રદયમાં સદા નિવાસ કરો.
पवन तनय संकट हरन, मंगल मूरति रूप ।
राम लखन सीता सहित, ह्रदय बसहु सुर भूप ॥
પવન તનય સંકટ હરન, મંગલ મૂરતિ રૂપ |
રામ લખન સીતા સહિત, હ્રદય બસહુ સુર ભૂપ ॥
ભાવાર્થ -­ હે પવનપુત્ર ! આપ બધા સંકટોના હરણ કરનાર ચો, આપ મંગળ મુરત રૂપ છો. મારી પ્રાર્થના છે કે આપ શ્રીરામ, શ્રીજાનકી તથા લક્ષ્મણજી સહિત સદા મારા હ્રદયમાં નિવાસ કરો.
॥ इति ॥

આભાર  સ્ત્રોત >>>>     સનાતન જાગૃતિ

મંગળવાર, 12 જાન્યુઆરી, 2010

ફિલ્મ 3 ઈડિયટ્સના 3 જીનીયસને જાણો છો ?

ફિલ્મ 3 IDIOTS માં તમે સહુએ ત્રણ ઈડિયટને જોયા. પણ એ જ ફિલ્મમાં ત્રણ જીનીયસની કારીગરી નિહાળી ? રાંચોની લદ્દાખની શાળામાં સ્કુટરથી ચાલતી અનાજ દળવાની ઘંટી, સાયકલથી ચાલતું વૉશિંગ મશીન અને પેડલથી ચાલતી “કાતર”થી ઘેટાંના વાળ કાપતો હજામ જોયો હશે. આ શોધના અસલી પ્રતિભાશાળી શોધકોને ઓળખો છો ?   આ રહ્યા એ ત્રણ…
  • રમ્યા જોઝ મલ્લાપુરમ, કેરાલાની 20 વર્ષની કન્યા. દસમાં ધોરણમાં હતી અને માને કેંસરની બીમારી થઇ. ઘરની જવાબદારી નાનકડી રમ્યા પર આવી પડી. રસોઇ કરવી, ઘર સફાઇ કરવી, વાસણ કરવાં, કપડાં ધોવાં અને ઉપરથી નિશાળમાં દસમાની તૈયારી કરવી. ક્લાસમાં પહેલો નંબર રાખતી રમ્યાએ વીજળી વગર ચાલતા વૉશીંગ મશીનની ડીઝાઇન બનાવી. તેના પિતા જૉસેફ પોતે શિક્ષક છે તેણે રમ્યાની ડીઝાઇનમાં રસ લીધો અને સ્થાનિક ફેબ્રિકેટરની મદદથી પેડલથી ચાલતું વૉશીંગ મશીન બનાવ્યું. નેશનલ ઇનોવેટીવ ફાઉંડેશન (NIF) એ આ શોધમાં રસ લીધો અને “ગ્રાસ રૂટ ટેકનોલોજીકલ ઇનોવેશન એંડ ટ્રેડીશનલ નોલેજ” ની હરિફાઇમાં આશરે 25000 હરીફોમાં રમ્યા પ્રથમ આવી. તે વખતના ભારતના રાષ્ટ્રપતિ માન. શ્રી અબ્દુલ કલામે તેને એવોર્ડ આપ્યો. ડીસ્કવરી ચેનલે તેની શોધનો વીડીયો ઉતાર્યો અને તે યુ-ટ્યુબ પર હીટ પુરવાર થયો. (http://www.youtube.com/watch?v=rk-H8gGPsGU) હાલમાં રમ્યા ઈલેક્ટ્રોનિક એંજિનીયરીંગમાં અભ્યાસ કરે છે.
ફિલ્મ 3 ઈડિયટ્સનું એક દ્રશ્ય જેમાં પશ્ચાદભૂમાં
સ્કુટરથી ચાલતી ચક્કી છે. (સૌજન્ય: હિ. ટા.)
  • મહારાષ્ટ્રના જલગાંવના જહાંગીર પેઇંટરે (49) પોતાની પત્નીને રોજરોજ ઘઉં દળાવવા માટે બે-ત્રણ કલાક લાઇનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી છુટકારો અપાવવા અને દસ દસ કલાકના પાવર કટથી બચવા સ્કુટરથી ચાલતી ઘંટી બનાવી આપી.
જહાંગીર પેંટર તેની સ્કુટર થી ચાલતી
ચક્કી સાથે.( Photo: Ganesh Surse-HT)
  • મોહમ્મદ ઇદરીશ (32) : ઉત્તર પ્રદેશમાં મીરત ડીસ્ટ્રિક્ટનો હજામતનો ધંધો કરતો પાંચમી ફેલ બાર્બર. આ જવાંમર્દે સાયકલથી ચાલતી ઘોડાના વાળ કાપવાની “કાતર” બનાવી. જે ઈલેક્ટ્રીક શેવર કરતાં અર્ધા સમયમાં કામ કરી આપતી હતી.
ફિલ્મ 3ઇડિયટ્સના નિર્માતા વિધુ વિનોદ ચોપરાએ ફિલ્મના નફામાંથી આ ત્રણ પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા માટે “નેશનલ ઇનોવેશન ફાઉંન્ડેશન (NIF)” ને દાન ની જાહેરાત કરી છે. કે જેની પાસેથી આ ત્રણેય શોધો ફિલ્મમાં લેવામાં આવી હતી.
આ નેશનલ ઇનોવેશન ફાઉંન્ડેશન. (NIF) શું છે તે પણ જાણીએ. નવ વર્ષ પહેલાં ભારત સરકાર દ્વારા “હની બી નેટવર્ક” ના સહકારથી સ્થપાયેલ સંસ્થાન છે. આ હની બી નેટવર્ક, અમદાવાદની પ્રખ્યાત મેનેજમેન્ટ સંસ્થા IIM ના પ્રોફે. અનિલ ગુપ્તાની સોળ વર્ષથી ગ્રાસ રૂટ કક્ષાએ થતી સંશોધનાત્મક પ્રવૃત્તિની પ્રણેતા સંસ્થા છે. NIF પાસે 140000 નવી શોધખોળો છે. જે ભારતના 545 જીલ્લાઓના અજાણ્યા સંશોધકોનું પ્રદાન છે. આમાંથી 220 પેટંટ અરજીઓ ભારતમાં અને એક US માં કરવામાં આવી છે. અને આ બંને સંસ્થાઓને ફિલ્મના ટાયટલમાં ક્રેડિટ આપવામાં આવી છે. વધુ માહિતી માટે “સૃષ્ટિ” (SRISTI-SOCIETY FOR RESEARCH AND INITIATIVES FOR SUSTAINABLE TECHNOLOGIES AND INSTITUTIONS). ની વેબ સાઇટ પર ક્લિક કરો.
સ્રોત :( 1)Bhajman Nanavaty,http://bhajman-vartalap.blogspot.com/2010/01/3-3.html#more
(2)હિંદુસ્તાન ટાઇમ્સ, http://www.hindustantimes.com/News-Feed/india/Top-grosser-3-Idiots-to-fund-real-life-inventors/Article1-492261.aspx
(3) NDTV INDIA. http://www.youtube.com/watch?v=VhlUVdbU9Lk&feature=related
(4) SRISTI http://www.sristi.org/cms/?q=en

ફિલ્મ 3 ઈડિયટ્સના ૩ ચોર ને જાણો છો ?

હા આ રહ્યા એ ૨૦૦૯ સાલ ના ૩ મહાન ઉઠાગર ચોર . ૧) રાજકુમાર હીરાની , ૨) વીધુ ચોપરા , ૩) અભિજિત જોશી  આ ત્રણે મહાન ચોરોએ ચેતન ભગત ની બુક “ફાઈવ પોઈન્ટ સમવન “
માંથી જ કથા ચોરી ને આ પોતાની કથા કહી રહ્યા છે. ચેતન ના પુસ્તક માં ફિલ્મની માફક જ એન્જ્યરીંગના ત્રણ વિદ્યાર્થીઓની વાત છે.પુસ્તક માં પ્રોફેસર આ ત્રણે ને  idiots  કહે છે.તેમના પર રેગીંગ થાય છે. હીરો રેગીંગ નો જવાબ આપે છે.મશીન ની વ્યાખ્યાઆ  પુસ્તકમાં છે.પાણીની ટાંકી પર થતી પાર્ટી ,વિચિત્ર પ્રોફેસર ,તેની સુંદર પુત્રી ,તેના પુત્રનો ટેન્સનમાં આપઘાત તેમજ આપઘાત ની ચિઠ્ઠી ,તેની પુત્રી ની મદદ થી પેપર ની ચોરી અને પછી પકડાઈ જવું .હિરો હિરોઈન નું પાઈપ થી ઉપર જવું  અને પછી પકડાઈ જવું  અને નીચે ઉભા રહેલા મિત્ર ના ગરીબ પરિવાર ની વાત ,પાંચ વરસ જૂની સાડી,કકળાટ કરતી માં ,બહેનના લગ્ન , ગાડી ની માંગણી ,પિતાની બીમારી.કોલેજમાંથી બહાર કાઢ્યા પછી આપઘાત પ્રયાસ  આ બધું જ ફીલ્મમાં  અને બુકમાં સરખી જ છે. માત્ર હિરો બીજા માટે ભણે છે,
અને તેના મિત્રો દસ વર્ષ પછી તેને શોધવા નીકળે છે અને હિરોઈન ને મંડપ માંથી ભગાડવાનું એજ નથી . બાકી મોટાભાગ નું સરખું છે જ.તો પછી વિધુ , રાજુ , અભિજિત  આ ત્રણે ને શા માટે ક્રેડીટ ? ફીલ્મ માં ચેતન ને ક્રેડીટ આપી છે પણ ફિલ્મ માં છેલ્લે નાના અક્ષર માં નમબરિઆમાં આપ્યું છે. આ ક્રેડીટ નહિ પણ લેખક નું અપમાન કેહવાય.ચેતન  ભગત નો ફોટો તથા બુક નો ફોટો નીચે છે.

  • Paperback: 288 pages
  • Publisher: Rupa & Co. (July 1, 2004)
  • Language: English
  • ISBN-10: 8129104601
  • ISBN-13: 978-8129104601
  • Author: Chetan Bhagat
See full size image

સ્વામી વિવેકાનંદ


સ્વામી વિવેકાનંદનો જન્મ મકરસંક્રાંતિના તહેવાર ની પૂર્વસંધ્યાએ સોમવાર તા. 12મી જાન્યુઆરી 1863ના રોજ કલકત્તા ખાતે શિમલા પાલ્લીમાં થયો હતો અને તેમનું નામ નરેન્દ્રનાથ દત્ત પાડવામાં આવ્યુ હતું. તેમના પિતા વિશ્વનાથ દત્ત કલકત્તા હાઇ કોર્ટમાં એટર્ની હતા. નરેન્દ્રનાથે પોતાનો અભ્યાસ ઘરેથી શરૂ કર્યો હતો પરંતુ પછીથી તેઓ સન 1871માંઇશ્વરચન્દ્ર વિદ્યાસાગરસંસ્થામાં દાખલ થયા હતા અને સન 1879માં તેમણે પ્રવેશ પરિક્ષા પાસ કરી હતી.  તેમને વિવિધ વિષયોમાં રસ હતો અને તેઓ તત્વજ્ઞાન, ઇતિહાસ, સમાજશાસ્ત્ર, વિનયન, સહિત્ય અને અન્ય વિષયોમાં વિદ્વતા ધરાવતા હતા.તેમણે વેદ , ઉપનિષદો , ભગવદ્દગીતા , રામાયણ , મહાભારત અને પુરાણો માં ઉંડો રસ દાખવ્યો હતો. તેઓ શાસ્ત્રિય સંગીતમાં, ગાયકી વાદ્ય એમ બન્નેમાં જાણકાર હતા.
રેન્દ્રનાથે સન 1880માં કલકત્તા ખાતે પ્રેસીડેંસી કોલેજમાં પ્રવેશ લીધો હતો અને બીજા વર્ષે તેઓએ કોલેજ બદલીને કલકત્તામાં સ્કોટ્ટીશ ચર્ચ કોલેજમાં એડમિશન લીધુ હતું.તે દરમિયાન તેમણે પાશ્ચાત્ય તર્કશાસ્ત્ર, પાશ્ચાત્ય તત્વજ્ઞાન અને યુરોપના રાષ્ટ્રોના ઇતિહાસનો અભ્યાસ કર્યો હતો. સને 1981માં તેમણે લલિત કલાની પરિક્ષા પાસ કરી હતી અને સને 1884માં તમણે વિનયન સ્નાતકની પરિક્ષા પાસ કરી હતી.કહેવાય છે કે નરેન્દ્રનાથે ડેવિડ હ્યુમ, ઇમેન્યુઅલ કેંટ, જોહાન ગોટ્ટ્લીબ ફીશે, બારુક સ્પીનોઝા, જ્યોર્જ ડબલ્યુ. એફ. હેગેલ, આર્થર શોપનહોર, ઓગસ્ટી કોમ્ટેકોમ્ટે, હર્બર્ટ સ્પેંસર, જોન સ્ટુઅર્ટ મીલ, અને ચાર્લ્સ ડાર્વિનના લેખનકાર્યોનું વાંચન કર્યુ હતું.

પોતાનો પ્રવાસ ચાલુ રાખીને તેમણે અમદાવાદ, વઢવાણ, લીંબડીની મુલાકાત લીધી. અમદાવાદમાં તેમણે ઇસ્લામ અને જૈન સંસ્કૃતિ પરનો તેમનો અભ્યાસ પૂરો કર્યો.લીંબડીમાં તેઓ ઇંગ્લેન્ડ અને અમેરિકા જઇ આવેલા ઠાકોર સાહેબ જસવંતસિંહને મળ્યા. વેદાંતનો ઉપદેશ આપવા પશ્ચિમના દેશોમાં જવાનો સર્વ પ્રથમ વિચાર સ્વામીને ઠાકોર સાહેબ પાસેથી મળ્યો. પાછળથી તેમણે જુનાગઢ, ગિરનાર, કચ્છ, પોરબંદર, દ્વારકા, પાલિતાણા, વડોદરાની મુલાકાત લીધી. પરિવ્રાજક રહેવાની પ્રતિજ્ઞા છતાં વિદ્વાનપંડિતો પાસે પોતાના તત્વચિંતન અને સંસ્કૃતના અભ્યાસને પાકો કરવા પોરબંદરમાં તેઓ પોણું વર્ષ રહ્યા. વેદનો અનુવાદ કરનારા દરબારના પંડિત સાથે તેમણે કામ કર્યું.

એર્નાકુલમ ખાતે 1892ના ડીસેમ્બરના પ્રારંભમાં તેઓ નારાયણ ગુરુના ગુરુ ચટ્ટમ્પી સ્વામિકલને મળ્યા. એર્નાકુલમથી તેમણે ત્રિવેન્દ્રમ, નાગરકોઇલનો પ્રવાસ કર્યો અને 1892મા ક્રિસમસની પૂર્વસંધ્યાએ પગે ચાલીને કન્યાકુમારી પહોંચ્યા. કન્યાકુમારી ખાતે સ્વામીએ ‘‘છેલ્લા ભારતીય ખડક’’ પર બેસીને ત્રણ દિવસ ધ્યાન ધર્યું હોવાનું કહેવાય છે. આ ખડક પાછળથી વિવેકાનંદ ખડક સ્મારક તરીકે જાણીતો થયો.
11 સપ્ટેમ્બર 1983ના રોજ શિકાગોના આર્ટ ઈન્સ્ટિટ્યુટ ખાતે ધર્મ સંસદની શરૂઆત થઈ.. આ દિવસે વિવેકાનંદે પોતાનું પ્રથમ ટૂંકુ વક્તવ્ય આપ્યું. તેમણે ભારત અને હિન્દુ ધર્મ વિશે વાત કરી.શરૂઆતમાં થોડો ગભરાટ અનુભવતા હોવા છતાં તેમણે વિદ્યાના દેવી સરસ્વતી ને પ્રણામ કરીને પોતાનું [[:s:સ્વામી વિવેકાનંદની સંપૂર્ણ રચનાઓ(The Complete Works of Swami Vivekananda)/વોલ્યુમ 1/ધર્મ સંસદમાં વક્તવ્ય/સત્કારનો પ્રતિભાવ|વક્તવ્ય]] , “અમેરિકાના ભાઈઓ અને બહેનો!” સાથે શરૂ કર્યુ. આ શબ્દો માટે સાત હજારની મેદનીએ ઉભા થઈને તાળીઓ પાડીને તેમનું સન્માન કર્યુ અને બે મિનિટ સુધી આ સન્માન ચાલ્યુ. ફરી જ્યારે શાંતિ સ્થપાઈ ત્યારે તેમણે પોતાનું વક્તવ્ય શરૂ કર્યુ. સૌથી યુવાન રાષ્ટ્રોમાંના એકનું અભિવાદન કરતાં તેમણે આ રાષ્ટ્ર વિશે જણાવ્યુઃ “વિશ્વમાં સાધુઓની સૌથી પ્રાચીન પરંપરા, વેદની સન્યાસી પરંપરા, ધર્મ કે જેણે વિશ્વને સહનશીલતા અને વૈશ્વિક સદભાવ શીખવ્યો છે.” અને તેમણે આ સંદર્ભે ભગવદ ગીતાના બે ફકરા ટાંક્યા—”જેવી રીતે બે વિભિન્ન પ્રવાહોનો સ્રોત અલગ-અલગ ઠેકાણે હોય છે પણ તેનું પાણી સમુદ્રમાં ભેગુ થાય છે, તેવી રીતે હે પ્રભુ, માણસની વિવિધ પ્રથાઓ અલગ-અલગ ભલે લાગતી હોય, પરંતુ તે તમામ રસ્તાઓ તારા સુધી લઈ આવે છે!” અને “જે કોઈ પણ મારી પાસે આવે છે, ભલે ગમે તે સ્વરૂપમાં આવે, હું તેના સુધી પહોંચુ છું; તમામ પુરુષો સમગ્ર માર્ગ પર સંઘર્ષ કરતા રહે છે, પરંતુ આ તમામ રસ્તાઓ આખરે મારા સુધી લઈને આવે છે.”ટૂંકું વક્તવ્ય હોવા છતાં, સંસદનો સાર તથા વસુધૈવ કુટુમ્બકમની ભાવના તેમાં અભિવ્યક્ત થતી હતી.
સ્વામી વિશે વધુ જાણવા માટે વાંચો
”સ્વામી વિવેકાનંદ ,શ્રી રામક્રિષ્ણ આશ્રમ ,ડો યાજ્ઞિક રોડ , રાજકોટ-૩૬૦૦૦૧,

ચાણક્ય નીતિ

રક્ષણ
મુશ્કેલીના સમયે લડવા ધન નો સંચય કરવો જોઈએ .ધન કરતાં પત્નીનું વધુ રક્ષણ કરવું  જોઈએ , પરંતુ પોતાનો જ જીવ જોખમ માં હોય ત્યારે ધન અને પત્ની ને પણ છોડતા અચકાવું  જોઈએ નહિ.// ૬//
ચંચળ લક્ષ્મી
લક્ષ્મી ચંચળ જ હોય છે એટલે મુશ્કેલીના સમયે સંચીત ધન પણ નસ પામે છે. // ૭ //
ક્યાં ક્યાં ના રહેવાય ? ( ૧ )
જે દેશ માં માન-સન્માન  ન મળે અને રોજગારી ના મળે, જયાં કોઈ આપણા સગા ના રેહતા હોય અને અભ્યાસ કરવો શક્ય ના હોય ત્યાં રેહવાનો કોઈ ફાયદો નથી .// ૮ //
ક્યાં ક્યાં ના રહેવાય ? ( ૨ )
જે દેશમાં કોઈ શેઠ ,વિદ્વાન ,રાજા,વૈધ  કે કોઈ નદી ના હોય ત્યાં પણ રેહવું ના જોયે. // ૯ //
અયોગ્ય પ્રદેશ
જે દેશ માં રોજી રોટી ના મળે ,જયાંના લોકો માં ભય ,શરમ ,ઉદારતા  અને દાન કરવાની વૃતિ ના હોય  તે પાંચ સ્થાનમાં ના જ રેહવું .// ૧૦ //

વધુ આવતા બ્લોગ પર ………………..


શનિવાર, 9 જાન્યુઆરી, 2010